અમદાવાદ શહેરના સાઉથ બોપલ ખાતે રહેતા અલ્પેશ વસોયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. વસોયાએ શહેરના બાપુનગર વિસ્તારના લોકોનો કરોડોનો ચૂનો ચોપડ્યો હતો ત્યારબાદ હવે આ ઠગાઈના ગુનાના આરોપી અલ્પેશ વસોયાએ વડોદરાની અમેતી હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આત્મહત્યાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા મુજબ, સોમવારે હોટલના રૂમમાં રોકાયેલા ગ્રાહકે રૂમનો દરવાજો ન ખોલતા હોટલ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઈ દરવાજો તોડી તપાસ કરતા અલ્પેશ વસોયાએ હોટલના રૂમમાં યો-યો કંપનીના બેલ્ટથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હાલ સયાજીગંજ પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરત/ 5 વર્ષની બહેન સાથે ઝગડો થતા 13 વર્ષના ભાઈએ ભર્યું આ ભયંકર પગલું
મળતી માહિતી મુજબ, લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર અને દેવાના બોજ તળે ડૂબેલા અલ્પેશ પટેલે લોકોને રૂપિયા ના ચૂકવી શકતા આત્મહત્યા કર્યાંનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પોલીસને સ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળ્યાની ચર્ચા છે, જેમાં પૈસાની ઉઘરાણી કરતા લોકોના ત્રાસથી પોતે પગલું ભર્યાનું મૃતકે જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ