આમ તો ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સુરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. આંંકડીય પૃથ્થુકરણથી સામે આવી રહ્યું છે કે, લુમ્સ અને હીરાના કારખાનામાં દર્દીઓ વધ્યા છે. કોરોના વધતા કહેરને રોકવા માટે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
સુરત મ્યુનિસિપલ કમિશનરે કારખાનેદારોને ચેતવણી આપી છે કે, લુમ્સ અને હીરાના કારખાનામાં કામદારો માસ્ક ન પહેરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે જો આવુ વર્તન ચાલુ રહેશે તે કારખાના સીલ કરવાના સુધીના આકરા પગલા તંત્ર લેવા માટે જરા પણ ખચકાશે નહીં. સખ્ત ચીમકી આપવાની સાથે લોકોને પણ સાવચેતી રાખવા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસથી સુરતમાં રોજ દિવસમાં બે વાર કોરોના વિસ્ફોટ થતા જોવામાં આવી રહ્યો છે અને રોજ અધધધ કેસ સામે આવી રહ્યા હોય ત્યારે આ પ્રકારનું બેજવાબદાર વર્તન બીલકુલ માફીને પાત્ર ગણાય નહી. આપને જણાવી દઇએ કે ગઇ કાલે સુરતમાંથી સાજ સુધીમાં 61 કેસ સામે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….