Banaskantha News: બનાસકાંઠાના દાંતીવાડામાં અકસ્માત સર્જાયો છે. પાંથાવાડાના ખિમત નજીક કારનો અકસ્માત થતાં બે ભાઈઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ દિનપ્રતિદીન વધતા જાય છે. બેફામ વાહન ચલાવવું, વાહનોને ઓવરટેક કરવા વગેરેથી અકસ્માતના બનાવો બને છે તો સાથે મોતની ઘટનાઓ થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, પરિણામે ઘર પરિવારના લોકો નિરાધાર થાય છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડામાં અકસ્માત સર્જાયો છે. પાંથાવાડા ગામના ખિમત નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કાર અથડાતા અકસ્માતમાં બે ભાઈઓના ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયા થયા છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. એક જ પરિવારના બે લોકોનું મૃત્યુ થતાં માતમ છવાયેલો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:પાટડી નગરપાલિકાના SIની મનમાની આવી સામે
આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ