રામ રાખે તેને કોણ ચાખે… કહાવતને યથાર્થ કરતો કિસ્સો બોટાદથી સામે આવ્યો છે. જ્યારે પ્રારબ્ઘમાં જીવન અને સ્વસ્થ જીવન લખ્યું છે તો તેને કોઇ બદલી શકતુ નથી, આ હકીકતને સાબિત કરી દીઘી છે એક નવ જાત શીશુએ. ઉલ્લેખનીય છે કે, પ્રારબ્ધ પણ તેને સાથા આપે છે જે સમજણથી કામ લે છે.(માટે પ્રારબ્ધ પર કોરો આધાર રાખી લોકડાઉનનો ભંગ કરી કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવું જોખમી છે. કારણે કે પ્રારબ્ધ ઘટના બની ગયા પછી જ સાબિતી આપે છે કે આ હતું પહેલા નહીં. મુળ વાત હતી એક ચોકવનારી ઘટનાની.
બોટાદ જિલ્લાની મહિલાનો કોરોના રિપર્ટ પોઝીટીવ આવ્યો હતો. મહિલા પણ કેવા, ગર્ભવતી મહિલા. જી હા ગર્ભઘારણ કરેલ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા મહિલાને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. મહિલાને આજથી 3 દિવસ પૂર્વે લેબર પેઈન ઉપાડતા ડિલિવરી માટે ભાવનગર લાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં હોસ્પિટલની ડોક્ટર ટીમની મદદથી કોરોના પોઝિટિવ મહિલાએ આજે 2.8 કિલો વજનના સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.
ભાવનગર કોવિડ હોસ્પિટલના ડોકટરો અને તેની ટીમની કામગીરી ખરેખર અભિનંદન ને પાત્ર છે. સર ટી હોસ્પિટલમાં 18 માસના બાળક થી લઈ 90 વર્ષ સુધીના કોરોના પોઝિટિવ લોકોને સારવાર કરી સાજા કરવામાં આવ્યા છે. તેમજ આજે કોરોના પીડિત મહીલાની ડિલિવરી પણ સફળતા પૂર્વક કરાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન