ગાંધીનગર ખાતે આવેલ ગુજરાતનાં સૌથી સુરક્ષીત બિલ્ડીંગમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. જી હા, કોરોનાની હવે વિધાનસભાનાં સ્વર્ણિમ સંકુલ – 2 માં એન્ટ્રી થઇ ચૂકી છે. જી હા, પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં પંચાયત મંત્રી જયદ્રથસિંહનાં કાર્યાંલયમાં ફરજ બજાવતા કારકુનનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
સ્વર્ણિમ 2 માં માત્ર મિનિસ્ટરનાં કાર્યલય જ આવેલા છે, ત્યારે અન્ય મંત્રીઓના સ્ટાફમાં પણ કોરોનાને કારણે ફફડાટ જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જોવામાં આવી રહ્યો છે, ત્યારે સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનાં પ્રવેશથી સામાન્ય લોકોમાં પણ ભય ગાઢ બન્યો પ્રતિત થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….