Not Set/ શું છે હાર્દિક પટેલના આંદોલનની રણનીતિનો કાર્યક્રમ, ક્યાંથી કરશે તેની શરૂઆત?, જાણો

રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ ( પાસ ) ના કન્વીર હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના આગામી કાર્યક્રમ વિશે વાત કરી હતી. હાર્દિક પટેલ પોતાના આંદોલન પાર્ટ-3 નું રણસિંગું ઉત્તર ગુજરાતમાંથી ફુકશે. આ અંગે માહિતી આપતા પાસ નેતા દિનેશ ભાભણીયાએ જણાવ્યું હતું કે, આગામી 27 જાન્યુઆરીથી હાર્દિક […]

Gujarat
hardik1 શું છે હાર્દિક પટેલના આંદોલનની રણનીતિનો કાર્યક્રમ, ક્યાંથી કરશે તેની શરૂઆત?, જાણો

રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ ( પાસ ) ના કન્વીર હાર્દિક પટેલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના આગામી કાર્યક્રમ વિશે વાત કરી હતી. હાર્દિક પટેલ પોતાના આંદોલન પાર્ટ-3 નું રણસિંગું ઉત્તર ગુજરાતમાંથી ફુકશે.

આ અંગે માહિતી આપતા પાસ નેતા દિનેશ ભાભણીયાએ જણાવ્યું હતું કે, આગામી 27 જાન્યુઆરીથી હાર્દિક પટેલ સહિતના પાસ કન્વીરનો પાટણમાં ધામા નાખશે. જ્યાં પાટણી સહિત આસપાસના વિસ્તારોના લોકો અને ગ્રામ જનો સાથે મુલાકાત કરીને અનામત આંદોલન અંગે લોકોમાં જાગૃતિ લાવશે.