કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવવા પાછળનો હેતુ યોગ્ય નોકરી મેળવવાનો છે.પરંતુ આજે શિક્ષણ પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવા છતાં સારા પગારની નોકરી મળી શકતી નથી.હાલની પરિસ્થિતીને જોતા એમબીએ અને ધણી મોટી ડિગ્રી પ્રાપ્ત કરી હોવા છતાં લોકો નોકરી માટે ભટક્યાં કરે છે.
અમદાવાદમાં ચાલતાં આ કોર્સમાં કોઈ મોટી ડિગ્રીની જરુર પડતી નથી. 12 ધોરણ પાસ કરેલ કોઈ પણ વ્યકિત આ કોર્સ કરી શકે છે. જેમાં અભ્યાસ બાદ શ્રેષ્ઠ નોકરી માટે ઉત્તમ તકોના દરવાજા ખુલી શકે છે. અમદાવાદમાં ચાલતી જેબીએસ એકેડમીમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટ,ઈન્ટરનેશનલ લોજિસ્ટિક્સને લગતાં વિવિધ કોર્સ ચાલી રહ્યા છે. જેમાં કસ્ટમ ક્લિયરન્સ, ટ્રાન્સપોર્ટેશન સંબંધિત મેટર્સ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ લોજિસ્ટિક્સ, ઇન્ટરનેશનલ ટ્રેડ, ડોક્યુમેન્ટ વગેરેનું નોલેજ આપવામાં આવે છે આ ઉપરાંત સોફ્ટ સ્કિલ અને કોમ્યુનિકેશન ડેવલપમેન્ટ પણ કરવામાં આવે છે. એક સફળ એક્સપોર્ટર કે ઇમ્પોર્ટર બનવા માટે આ કોર્સ કરવો જરૂરી છે. આ સર્ટિફિકેટ કોર્સ તમને તમારો પોતાનો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બિઝનેસ કરવા માટેની સુવ્યવસ્થિત ટ્રેનિંગ પૂરી પાડે છે
લોજિસ્ટિક્સ સેક્ટરમાં 59 કરતાં વધુ વર્ષોનો અનુભવ ધરાવતાં જેબીએસ ગ્રુપે અમદાવાદના નવરંગપુરામાં “જેબીએસ એકેડમી”ની સ્થાપના કરી હતી. 2010માં જેબીએસ ગ્રુપના સમીર શાહે આ એકેડમી શરૂઆત કરી હતી. તેઓ એકેડમીના ચીફ મેન્ટોર અને ડિરેકટર છે.આ કોર્સ ભારતભરમાં માત્ર અમદાવાદમાં જ કાર્યરત છે.