છેલ્લા થોડા દિવસથી જંગલના રાજા સિંહોની માઠી બેઠી હોય તેમ ઉપરા છાપરી સિંહોનાં અપમૃત્યુ થઇ રહ્યા છે. અચાનક જ સિંહોનાં મોતને કારણે તંત્ર પણ અવાચક બની ગયું. ઉલ્લેખનીય છે કે કોરોનાનાં કપરા કાળમાં પણ જ્યારે અધધધ સિંહ બાળનાં જન્મ થાયા હતા, તો કેમ અચાનક સિંહો મોતને ભેટવા માંડ્યા તેવો લોકોમાં પ્રશ્ન ચર્ચાઇ રહ્યો હતો. સિંહનાં મોત મામલે જો કે ઘણા દિવસથી વનવિભાગ પણ મગનું નામ મરી નહોતું પાડી રહ્યું હતું.
અંતે સિંહનાં મોત મામલે વનવિભાગે મોન તોડ્યુ છે. વન વિભાગ દ્વારા આપવામાં આવતી જાણ કારી અનુસાર હાલ જૂનાગઢ અને ગીર જંગલમાં બેબસિયાનાો રોગ વકર્યો છે. આજ રોગનાં કારણે છેલ્લા થોડા દિવસોમાં 6 સિંહોના મોત થયા હતા. રોગચળાને કાબુમાં લેવા માટે વનવિભાગે હાલ સિંહને બેબસિયાના રોગની સારવાર અપી છે. સારવાર બાદ 6 સિંહોને ફરી જંગલમાં મુક્ત કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન