![સિવિલ હોસ્પિટલ/ ડીજીટલ યુગમાં પણ મોત બાદ પરિવારજનોને જાણ કરવામાં નીકળી રહ્યા છે દિવસો 3 7975c5b836a6a839eb13f3ebca23f8db સિવિલ હોસ્પિટલ/ ડીજીટલ યુગમાં પણ મોત બાદ પરિવારજનોને જાણ કરવામાં નીકળી રહ્યા છે દિવસો](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/05/7975c5b836a6a839eb13f3ebca23f8db.png)
સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ રહી છે. કોરોનામાં મોતને લઈને સતત બીજા દિવસે પણ વિવાદ સર્જાયો છે. ગોમતીપુરના રહેવાસી મહેશભાઈ રાઠોડનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. આવા સમયે વિવાદ થયો છે. પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે મહેશભાઈને કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે 4 મેના દિવસે ખેસેડવામાં આવ્યા હતા. જ્યાં 6 મેના રોજ તેમ્નુંમોત થઇ ગયું હતું. અને આજે એટલે કે 14 તારીખે જાણ કરવામાં આવી હતી.
આ મામલે જ્યારે પરિવારે સિવિલ સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો કોઈ જવાબ આપ્યો નહોતો બીજી તરફ સિવિલ હોસ્પિલ સત્તાધીશનો સંપર્ક કર્યો તો સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું.. હાલમાં સમગ્ર મામલે વિવાદ થતા સત્તાધીશો ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોરબંદર ના કોંગ્રેસ મંત્રીના મોત બાદ પણ પરિવારજનોને જાણ કરવામાં આવી નાં હતી. ત્યારે ચર્ચા એ છે કે ડીઝીટલ યુગમાં આખરે મોત બાદ પરિવારજનોને જણાવવામાં કેમ દિવસો નીકળી રહ્યા છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.