સુરતમાં સંક્રમણનું સંકટ યથાવત જોવામાં આવી રહ્યું છે અને આ કારણે ઘાંઘુ થયેલુ તંત્ર હવે નિયોમોનો કડક અમલ કરાવવા પર ઉતર્યુ છે. જી હા, સુરતથી સામે આવી રહેલી વિગતો પ્રમાણે સુરતમાં આવતા પરપ્રાંતિય શ્રમિકો મુદ્દે સુરતમાં નવી નીતિ જાહેર કરી અમલી કરી દેવામાં આવી છે. બહારથી સુરતમાં આવતા પરપ્રાંતિય શ્રમિકો હવે 7 દિવસ કવોરન્ટાઇનમાં રહેવુ ફરજીયાત રહેશે. જો આમ ન કરાય તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
જી હા, તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેતો આપી દેવામાં આવ્યા છે કે, બહારથી સુરતમાં આવતા પરપ્રાંતિય શ્રમિકો 7 દિવસ કવોરન્ટાઇન ન કરાય તો આવા એકમોને બંધ કરવામાં આવશે. શ્રમિકોનો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવશે તો પણ કવોરન્ટાઇન કરાશે. જો કોઇને સંક્રમણની અસરો જોવામાં આવશે તો આવા શ્રમિકોને ફરજિયાત હોમ આઇસોલેટ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….