સુરતમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. કોરોના ઉપરાંત અન્ય બીમારીથી પીડાતા આ મહિલાના મોત સાથે સુરતમાં અત્યાર સુધી કુલ 14 વ્યક્તિના મોત કોરોનાને કારણે થયા છે.
જણાવીએ કે કોરોના વાયરસના ભય વચ્ચે વધુ એકનું મોત થતા ફફડાટ મચી જવા પામ્યો છે. કોરોના પોઝિટિવ દર્દી સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય સવિતાબેન વિજય કુમાર નગરને ગત 21મીના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યારે મળસ્કે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરતમાં અત્યાર સુધી કુલ 456 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 14 લોકોના મોત આ વાયરસના કારણે થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.