સુરત,
સુરતના વરાછામાં પોલીસની દાદાગીરી યથાવત રહી છે. એક દિવસ પહેલા વરાછા વિસ્તારમાં એક દુકાનદાર તથા અન્ય યુવકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. જેને લઈને દુકાનદાર યુવકે પોલીસના આ દમન સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.
જેની અદાવત રાખીને વરાછા પોલીસનો કાફલો ફરી ગુરુવારે રાતે એ દુકાન સામે પહોંચ્યો અને નીચે ઉતરીને પોલીસકર્મીઓએ લાઠીચાર્જ શરૂ કરી દીધો. દુકાનમાલિકા પુત્રને માર મારીને દુકાનો પોલીસે બંધ કરાવી. પોલીસના લાઠીચાર્જની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં વરાછા પોલીસ મથકના પીએસઆઈ તથા અન્ય કર્મચારીઓ ખુલ્લેઆમ રોફ જમાવતા દેખાઈ રહ્યા છે.