જમ્મુ-કાશ્મીર/ બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર,પુલવામામાં 30 કિલો IED જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ એન્કાઉન્ટર બડગામના વોટરહોલ વિસ્તારમાં થઈ રહ્યું છે.

Top Stories India
3 13 બડગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર,પુલવામામાં 30 કિલો IED જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ એન્કાઉન્ટર બડગામના વોટરહોલ વિસ્તારમાં થઈ રહ્યું છે. કાશ્મીરના ADGP વિજય કુમારે માહિતી આપી છે કે પોલીસ અને સુરક્ષા દળોએ બુધવારે સવારે આ વિસ્તારમાં 3 આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આ સાથે એડીજીપીએ માહિતી આપી છે કે પોલીસ અને સુરક્ષા દળોએ પુલવામામાં વિસ્ફોટક IED મળી આવ્યો છે.તેની માત્રા 25થી

પોલીસ અને સુરક્ષા દળોએ આ IED પુલવામાના સર્કલર રોડ પર સ્થિત તહાબ ક્રોસિંગ નજીકથી મળી આવ્યો છે. કાશ્મીરના ADGP વિજય કુમારનું કહેવું છે કે આટલી મોટી માત્રામાં IED રિકવર કરીને પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યા છે. ADGPના જણાવ્યા અનુસાર 3 આતંકીઓમાં લતીફ નામનો એક આતંકી પણ હાજર છે. તે ઘણા નાગરિકોની હત્યામાં સામેલ છે. ADGP વિજય કુમારે જણાવ્યું છે કે લતીફ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા રાહુલ ભટ અને ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યામાં પણ સામેલ છે.

ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ અને સુરક્ષા દળોને બડગામના વોટરહોલ ગામમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી, પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે તેમને પકડવા માટે અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.