ગુજરાતમાંથી દારૂ બંધી દૂર કરવાનો ફરી એક વાર શૂર સુરતથી ઉઠ્યો છે.સુરતના અખિલ ભારત હિન્દૂ મહાસભા દ્વારા આ શૂર ઉઠવામાં આવ્યો છે.ગુજરાતમાં નામ પૂરતો જ દારૂ બંધી કાયદો રહ્યો હોવાનો આક્ષેપ અખિલ ભારત હિન્દૂ મહાસભા દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં દરેક શહેર , જિલ્લા ,તાલુકા અને તમામ વિતારોમાં દારૂ મળી રહેવા છે ત્યારે સરકારે દારૂ બંધી દૂર કરી રાજ્ય સરકારની આવકમાં વધારો કરવો જોઈએ.સાથે એવા પણ આક્ષેપ કરાયા હતા દારૂ બંધીને કારણે ગેરકાયદે ધંધો કરનાર દારૂના બંધાણીઓને ખરાબ ગુણવત્તા વાળો દારૂ પીવડાવી સ્વાસ્થ્ય બગાડી રહયા છે.
જેથી સરકારે આ અંગે ગંભીરતાથી વિચારી ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા જળવાય રહે તે રીતે દારૂબંધી દૂર કરવી જોઈએ .જે માટે અખિલ ભારતીય મહાસભા દ્વારા સુરત જિલ્લા કલેકટર આવેદનપત્ર પાઠવી સરકારને રજૂઆત કરી છે.અને જો તેમની રજૂઆતની ગંભીર તાથી નોંધ નહીં લેવાય તો આવનરા ઉગ્ર કાર્યક્રમો આપી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.