દેશમાં કોરોનાવાયરસનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,76,583 પર પહોંચી ગઇ છે, જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 7,745 લોકોનાં મોત નીપજ્યાં છે.
વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,985 નવા કેસ નોંધાયા છે અને 274 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, તે રાહતની વાત છે કે 1,35,206 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રિકવરી દર 48.88 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ કોરોનાવાયરસ ચેપનાં 9,000 થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. જેણે ભારતની ચિંતમાં મોટો વધારો કરી દીધો છે.
9985 new #COVID19 cases & 279 deaths reported in the last 24 hours. Total number of cases in the country now at 276583, including 133632 active cases, 135206 cured/discharged/migrated and 7745 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/lFw0MwKvYp
— ANI (@ANI) June 10, 2020