મધ્યપ્રદેશના બડવાની જીલ્લામાં એક હૃદયદ્ર્વાક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ પરિવારના ૫ બાળકોના મૃતદેહ કુવામાંથી મળી આવ્યા છે. મૃતક ૫ બાળકોના પિતા અને તેની બે પત્નીઓ ઘરથી લાપતા છે. ગામના લોકોને આ ઘટનાની જાણ થતા તેમણે પોલીસને ખબર આપી હતી. પોલીસે જોયું તું ખબર પડી કે ગામના કુવામાં ૫ બાળકોના મૃતદેહ હતા. ગામલોકોની મદદથી આ બાળકોના મૃતદેહ બહાર નીકળવામાં આવ્યા હતા.
આ ઘટના ચીખલી ગામની છે. ભારતસિંહ નામના વ્યક્તિના આ ૫ બાળક હોવાનું સામે આવ્યું છે. જયારે ગામના લોકોએ આ પાંચ બાળકોના માતા-પિતાને ઓળખી લીધા ત્યારે તેમના મૃત્યુની ખબર આપવા માટે ગયા ત્યારે માલુમ પડ્યું કે તે લોકો ગાયબ છે. ત્યારબાદ તે લોકોએ પોલીસને જાણ કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભરતસિંહને બે પત્ની છે. બે પત્નીના લીધે અવાર-નવાર તેમના ઘરમાં ઝઘડા થતા રહેતા હોય છે. આ ઝઘડાને લીધે તેમના ૫ બાળકોને હત્યા કરી દેવામાં આવી હોય તેવું પોલીસને લાગી રહ્યું છે. જો કે બાળકના મોત મ્મલે પોલીસે બધું તપાસ હાથ ધરી છે.