સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લગતા 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બેકાબૂ આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતા શહેરમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. સદનસીબે આ આગને કારણે કોઇ જાનહાનની થઇ નથી.
સુરત શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલ રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની છે. આગ લગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતાં આગ બેકાબૂ બની ગઈ હતી.
આપને જણાવી દઈએ જે આજથી 6 મહિના પહેલાં એટલે કે, 21 જાન્યુઆરીએ પણ આ જ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.