અનલોક 1 માં દેશમાં હોટલ, મોલ્સ અને ધાર્મિક સ્થળોને ખોલવામાં આવ્યા છે. પરંતુ આ વચ્ચે દેશમાં કોરોનાવાયરસનાં કેસો સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 2,66, 598 પર પહોંચી ગઇ છે.
જ્યારે વાયરસ દ્વારા અત્યાર સુધીમાં 7,466 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,987 નવા કેસ નોંધાયા છે અને 266 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે, તે રાહતની વાત છે કે 1,29,215 દર્દીઓ કોરોનાને હરાવવામાં સક્ષમ થયા છે. રિકવરી દર 48.46 ટકા પર પહોંચી ગયો છે. અનલોક -1 નો પ્રથમ તબક્કો 8 જૂનથી શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ્સ અને રેસ્ટોરન્ટ્સ વગેરેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
India reports the highest single-day spike of 9987 new #COVID19 cases & 331 deaths in the last 24 hours. Total number of cases in the country now at 266598, including 129917 active cases, 129215 cured/discharged/migrated and 7466 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/plj2Vg693d
— ANI (@ANI) June 9, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.