દેશમાં આજે કોરોનાનાં કારણે ભયાનક દ્રશ્યો રોજ જોવા મળી રહ્યા છે. આ બધુ જ દરેકની સામે જ થઇ રહ્યુ છે. છતા મોટી સંખ્યામાં રોજ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જો કે એવું પણ નથી કે આરોગ્ય સુવિધાઓનું આ સંકટ કોરોના સમયગાળા દરમિયાન એક કે બે રાજ્યોમાં છે આ સમયે સમગ્ર દેશ મોટો સંકટનો સામનો કરી રહ્યો છે.
રસીની લડત / હજુ અમારી પાસે નથી પહોંચી વેક્સિન, લોકોને અપીલ લાઇનમાં ન લાગે: CM કેજરીવાલ
ઓક્સિજન સપ્લાય અને દવાઓનાં મુદ્દે સુપ્રીમ કોર્ટનાં પોતે દખલ બાદ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પર સવાલો પર સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, જો કોઈ નાગરિક સોશિયલ મીડિયા પર ફરિયાદ કરે છે તો તેને ખોટી માહિતી કહી શકાય નહીં. જો આવી ફરિયાદોને કાર્યવાહી માટે ધ્યાનમાં લેવામાં આવે છે, તો અમે તેને અદાલતની અવમાન ગણાવીશું. આ અંગે પોલીસ મહાનિર્દેશકને સૂચનાઓ જારી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, માહિતીનો ફ્રી પ્રવાહ હોવો જોઈએ, આપણે નાગરિકોનો અવાજ સાંભળવો જોઈએ. કોર્ટે કહ્યું કે, કેન્દ્રએ એવું ન કહેવું જોઈએ કે દિલ્હીની ક્ષમતા ઓછી છે કારણ કે તે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી મદદ આપવામાં આવે. જો કંઇ નહીં કરવામાં આવે તો મૃત્યુઆંક વધશે.
કોરોના સંક્રમણ / દિલ્હીનાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ કોરોના પોઝિટિવ
સોલિસિટર જનરલે કહ્યું કે, સપ્લાય વધારવા માટે દિલ્હીને અન્યત્ર ઘટાડો કરવો પડશે. દિલ્હીમાં કોવિડથી થતી દરેક મૃત્યુ ઓક્સિજનનાં અભાવને કારણે નથી હોતી. સુનાવણી દરમિયાન પૂર્વ કાયદા પ્રધાન અશ્વની કુમારે કહ્યું હતું કે, કોરોના હોવા છતાં કુંભ જેવા ધાર્મિક કાર્યક્રમો અને રાજકીય રેલીઓ ચાલુ રહી છે. ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકો બીમાર પડ્યા હતા. આના પર કંઈક થવું જ જોઇએ. કોર્ટે કહ્યું કે, આ તમામ પાસાઓ એમિકસ ક્યૂરિ દ્વારા જોવામાં આવશે. કોર્ટને જાણવા મળ્યું કે, ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને પણ હોસ્પિટલોમાં બેડ્સ નથી મળતા. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, પરિસ્થિતિ ખરાબ છે. કોવિડ-19 દર્દી સંભાળ કેન્દ્રો બનાવવા માટે છાત્રાલયો, મંદિરો, ચર્ચો અને અન્ય સ્થળો ખોલવા જોઈએ. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ ચંદ્રચુડે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, ટેન્કર અને સિલિંડરોની સપ્લાયની ખાતરી કરવા માટે કયા પગલા લેવામાં આવ્યા છે? કોર્ટે પૂછ્યું કે, ઓક્સિજન સપ્લાય કેટલો સમય રહેશે? કોર્ટે પૂછ્યું કે જે લોકો પાસે ઇન્ટરનેટ નથી અથવા અસિક્ષિત છે તેઓ રસી માટે નોંધણી કેવી રીતે કરશે. શું કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈ યોજના છે? વળી, રસીકરણ અંગે કોર્ટે કહ્યું કે કેન્દ્રએ રાષ્ટ્રીય રસીકરણ મોડેલ અપનાવવું જોઈએ, કેમ કે ગરીબો રસીની કિંમત ચૂકવી શકશે નહીં.