કળયુગી માતા/ ભરૂચમાં જનની જ બની યમરાજ, પતિ સાથેના અણબનાવમાં માતાએ બાળકીની કરી હત્યા

પતિ પત્ની વચ્ચેના અણ બનાવમાં માતાએ જ પોતાની દીકરીનું ગળું દબાવી કરી નાખી હત્યા…

Top Stories Gujarat Others
હત્યા

@મુનિર પઠાન

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા સગી માતાએ જ પાંચ વર્ષીય બાળકીનું ગળુ દબાવી તેની હત્યા કરી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે

ભરૂચના કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ રામનગર વિસ્તારમાં એક મકાનમાં પરપ્રાંતીય પરિવારો વસવાટ કરે છે. જેમાં એક પરિવારની માસુમ છ વર્ષીય અંશુ ચૌહાણને તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.ત્યારે સિવિલ પર હાજર તબીબે બાળકીને ચેક કરતા તે મૃત હોવાનું જાહેર કરવા સાથે મોતનું કારણ પૂછતા યોગ્ય જવાબ ન મળતા સિવિલના તબીબે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. સિવિલના તબીબે પણ બાળકીનું મોત પ્રાથમિક અનુમાન મુજબ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની શંકા કરતા પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવા સાથે ઝીણવટ ભરી તપાસનો દોર લંબાવ્યો હતો.જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બાળકીની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની સગી માતા નંદની ચૌહાણે કરી હોવાનું બહાર આવ્યું

પતિ સાથેના અણબનાવના કારણે સગી જનેતાએ જ તેની 5 વર્ષીય પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી જે મામલે એ ડિવિઝન પોલીસે હત્યારી માતા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અન્ય બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં હતા ત્યારે તેનોના મોત પાછળ પણ હત્યારી માતા જવાબદાર છે કે કેમ એ અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ચૈતર વસાવાની ચેલેન્જને ભાજપના સાંસદે સ્વીકારી, કહ્યું, હું રાજપીપળા આવીશ

આ પણ વાંચો:IASના દાદા-દાદીએ કર્યો આપઘાત, 30 કરોડની સંપત્તિ હોવા છતાં ન આપતો હતો જમવાનું…

આ પણ વાંચો:પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ બંધ થવાના આરે? જાણો શા માટે દેશ છોડવા મજબૂર બન્યા પાયલોટ્સ

આ પણ વાંચો:વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એકશનમાં, 14થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત, પોલીસ કાફલો ખડકાયો

આ પણ વાંચો:વડોદરાના ફતેપુરામાં જૂથ અથડામણ, ભગવાન રામની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ