Not Set/ સુરત શહેરમાં રાજપુત સમાજે મહારેલી કાઢીને પદ્માવતી ફિલ્મનો વિરોધ કર્યો

પદ્માવતી ફિલ્મના વિરોધમાં રવિવારે ગાંધીનગરમાં રાજપુત સમાજનં વિરાટ સંમેલન યોજાઇ રહ્યુ છે. આ સંમેલનમાં ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં રાજપુત સમાજનો લાકો એકઠા થશે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ રાજપુત સમાજે મહારેલી કાઢીને ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છેકે, રાજપુત સમાજ પદ્માવતી ફિલ્મને પ્રદર્શીત નહી કરવાની માંગ કરી રહી રહ્યો છે. તેમ છતા જો ફિલ્મ […]

Gujarat
vlcsnap 2017 11 12 15h37m00s840 સુરત શહેરમાં રાજપુત સમાજે મહારેલી કાઢીને પદ્માવતી ફિલ્મનો વિરોધ કર્યો

પદ્માવતી ફિલ્મના વિરોધમાં રવિવારે ગાંધીનગરમાં રાજપુત સમાજનં વિરાટ સંમેલન યોજાઇ રહ્યુ છે. આ સંમેલનમાં ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં રાજપુત સમાજનો લાકો એકઠા થશે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ રાજપુત સમાજે મહારેલી કાઢીને ફિલ્મનો વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છેકે, રાજપુત સમાજ પદ્માવતી ફિલ્મને પ્રદર્શીત નહી કરવાની માંગ કરી રહી રહ્યો છે. તેમ છતા જો ફિલ્મ પ્રર્દિશત થશે તો તેના માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સંમેલનમાં એક લાખથી પણ વધુ રાજપુત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા જેમાં કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવી સહિતના આગેવાનો હાજરી આપી છે.રામલીલા ફિલ્મમાં રાજપુત સમાજને હલકો ચીતરવાનો પ્રયાસ કરનાર ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ રાણી પદ્માવતી પણ રિલીઝ થયા પુર્વે જ વિવાદોમાં સપડાઇ છે. રાજસ્થાન કરણી સેના તથા રાજપુત સમાજ દ્વારા આ ફિલ્મમાં રાણી પદ્માવતીને મોગલ સુલતાન અલાઉદ્દીન ખીલજીની પ્રેમિકા તરીકે દર્શાવવામાં આવી હોવાનું જણાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજપુત કરણી સેનાએ રાજસ્થાનમાં જે તે સમયે આ ફિલ્મનું શુટીંગ પણ અટકાવ્યુ હતું..