બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપુતે આજે મુંબઈમાં પોતોના ફ્લેટમાં આત્મહત્યા કરી દીધી છે. આ વાતને જાણકારી તેના નોકરે પોલીસને આપી હતી. હજુ પણ લોકોને વિશ્વાસ નથી થઇ રહ્યો કે સુશાંતસિંહ રાજપુતે આ પ્રકારનું પગલુ ભર્યુ. એક માસૂમ ચહેરો જેના પર તમને હંમેશા હસી જોવા મળે તે આવુ પગલુ કેવી રીતે ભરી શકે. આવા જ ઘણા બોલિવૂડ શેલ્બ્સે સુશાંતની મોત પર પ્રતિક્રિયાઓ આપી છે.
બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે, આ સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું. મારી પાસે શબ્દો નથી મને યાદ છે સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ છીંછોરે મેં જોઇ હતી અને હું મારા મિત્ર સાજિદને કહી રહ્યો હતો કે મને આ ફિલ્મ ખૂબ ગમી છે. કાશ હું આ ફિલ્મનો ભાગ હોત. સુશાંત ખૂબ પ્રતિભાશાળી અભિનેતા હતો, પરિવાર પ્રત્યે સંવેદના.
Honestly this news has left me shocked and speechless…I remember watching #SushantSinghRajput in Chhichhore and telling my friend Sajid, its producer how much I’d enjoyed the film and wish I’d been a part of it. Such a talented actor…may God give strength to his family 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) June 14, 2020
ફરહાન અખ્તર લખે છે, સુશાંતનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છુ. ખૂબ જ દુઃખદ. પરિવારને સંવેદના.
Absolutely stunned by Sushant’s death..!! This is so so sad. Heart goes out to his family.. their grief must be beyond measure. Deepest condolences.
— Farhan Akhtar (@FarOutAkhtar) June 14, 2020
અનુપમ ખેર લખે છે, મારા પ્રિય સુશાંત સિંહ રાજપુત… આખરે કેમ?…કેમ?
मेरे प्यारे सुशांत सिंह राजपूत….आख़िर क्यों?….क्यों? 💔
— Anupam Kher (@AnupamPKher) June 14, 2020
સોનાક્ષી સિંહા લખે, મને આઘાત લાગ્યો છે. રેસ્ટ ઇન પીસ સુશાંત, તમે જાણતા નથી કે કોઈ કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દરેક સાથે સારી રીતે રહો. પરિવારને સંવેદના.
Shocked beyond words. Rest in peace Sushant. You never know what someone is going through… be kind. Condolences to his family and loved ones.
— Sonakshi Sinha (@sonakshisinha) June 14, 2020
સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા અંગે અજય દેવગને ટ્વીટ કર્યું, “અજય દેવગને લખ્યું છે,” સુશાંત સિંહ રાજપુતનાં મોતનાં સમાચાર ખૂબ જ દુઃખદ છે. ખૂબ જ મોટુ નુકસાન છે. તેમના પરિવાર અને તેમના પ્રિયજનો પ્રત્યેની મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”
The news of Sushant Singh Rajput’s death is truly sad. What a tragic loss🙏 Deepest condolences to his family & loved ones. May his soul find eternal peace.
— Ajay Devgn (@ajaydevgn) June 14, 2020
રવિના ટંડને સુશાંત સિંહ રાજપુતનાં નિધન પર ટ્વિટ કરીને લખ્યું છે કે, સુશાંત સિંહ રાજપુતનાં અવસાન વિશે સાંભળીને આઘાત લાગ્યો અને તે ખૂબ જ દુઃખદ બાબત છે. કોઈ શબ્દ નથી. દુર્ઘટના છે આ. ખૂબ જ યુવાન અને પ્રતિભાશાળી, તેણે હજી પણ આગળ જવાનુ હતુ. તમારા આત્માને શાંતિ મળે સુશાંત.”
Extremely shocked and saddened to hear about @itsSSR #SushantSinghRajput s demise . Speechless. A tragedy. So young and so talented,he had miles to go…rest in peace dearest sushant🙏🏼🕉🙏🏼
— Raveena Tandon (@TandonRaveena) June 14, 2020
અભિનેતાનાં મોત પર ટ્વીટ કરતા ઉર્વશી રૌતેલાએ લખ્યું છે કે, “હતાશા સૌથી મોટો રોગચાળો છે. હું હજી પણ કાંપી રહી છું. માનસિક રીતે નષ્ટ થઇ ચુકી છું. ખૂબ જ ઝડપથી ચાલ્યા ગયા સુશાંત. તેમના પરિવાર સાથે મારી સંવેદના.”
Depression is the biggest pandemic. I am benumb & trembling right now. Mentally destroyed… Gone too soon #SushantSinghRajput 😞 @itsSSR
My condolences with his family 🙏🏻 pic.twitter.com/GmIHxjWSIx— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) June 14, 2020
આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતે તેની પહેલી ફિલ્મથી જ દર્શકોનું દિલ જીત્યું હતું અને એ પણ સાબિત કરી દીધું હતું કે તેમની પાસે પ્રતિભાની કમી નથી. 34 વર્ષીય સ્માર્ટ સુશાંત છેલ્લે 2019 માં આવેલી ફિલ્મ છીંછોરેમાં જોવા મળ્યો હતો. તેને ફરીથી સ્ક્રીન પર જોવા ચાહકો ખૂબ જ ઉત્સાહી હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.