અમદાવાદ: રાજ્યમાં પડેલા વરસાદથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તારાજી સર્જાઈ હતી. જેના પરિણામે પુરની સ્થિતિ સર્જાતા રાજ્યમાં માળિયા, બનાસકાંઠા અને અન્ય વિસ્તારોમાં જાનમાલની હાની ઊભી થઇ હતી અને કેટલાય લોકોએ જીવ ગુમાવવા પડ્યો હતો. વરસાદના પગલે સાબરમતી નદી પર આવેલો ધરોઈ ડેમ ઓવરફ્લો થતાં અમદાવાદ, ખેડા અને આણંદ જેવા જીલ્લાને અલર્ટ કરાયા હતા. અમદાવાદમાં પણ વધુ વરસાદ વરસતા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે શનિવારે અને રવિવારે હવામાન સામાન્ય રહેશે અને ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રાંતના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.