- કોંગ્રેસ કાર્યાલય તોડફોડ મામલો
- યુથ કોંગ્રેસ સામે લેવામાં આવ્યા કડક પગલાં
- 12 યુથ કોંગ્રેસ કાર્યકર્તા સામે કોગ્રેસે લીધા પગલાં..
- તોડફોડ કરનાર 12 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે કોંગ્રેસની રાજકિય પરિસ્થિતિ બરાબર નથી,રાજયમાં ઉમેદવારનોની યાદી જાહેર કરતા અનેક અસંતુષ્ઠો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેના લીધે કાર્યકરો પાલડીમાં આવેલ કોંગ્રેસની મુખ્ય કાર્યલય પર તોડફોડ કરી હતી અને અશઓભનીય વર્તન અને વાણીનો પ્રયોગ કર્યો હતો,જેના લીધે પક્ષની ગરિમાને ભારે નુકશાન પહોંચ્યુ હોવાથી કોંગ્રેસ શિસ્ત સમિતિએ સત્વરે નિર્ણય લઇને જે લોકો તોડફોડમાં સામેલ હતા તેવા 12 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે. 12 યુથ કોંગ્રેસના આ કાર્યકર્તાઓ સામે શિસ્ત પગલા લઇને પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું કે કોઇ પણ ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે.