કોરોના કહેર અને અનલોક 1.0માં ભગવાન જગન્નાથની ૧૪૩મિ રથયાત્રા આગામી 23 જૂને જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળશે. પરંતુ કોરોનાના કહેર ને લઈને આ યાત્રા અંત્યંત સાદગી પૂર્ણ રીતે નીકળશે. જાહેર જનતાને ઘરે રહી ને ઓનલાઈન કે ટીવી ના માધ્યમથી દર્શન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
કોરોના સંકટ વચ્ચે રથયાત્રામાં લોકોની ભીડ ભેગી નહિ થવા દેવી તે પોલીસ માટે એક મોટો પડકાર રહેશે. આ રથયાત્રામાં કોઇ અખાડા કે ભજન મંડળીનો સમાવેશ નહિ કરવામાં આવે, માત્ર ત્રણેય રથ ઝડપથી નિકળીને ઝડપથી પરત ફરશે.
પોલીસ વિભાગ દ્વારા પણ દર વર્ષની જેમ જ રથયાત્રાના બંદોબસ્તની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સાદાઇથી રથયાત્રા યોજાવાની હોવા અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અર્ધલશ્કરી દળોને પણ બોલાવી લેવામાં આવ્યા છે. જે આગામી 17 જૂને અમદાવાદ આવી જશે. સાથે સાથે અન્ય જિલ્લાઓની પોલીસ પણ 17 જૂને અમદાવાદ આવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.