સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મી ડિસેમ્બરે યોજાનારા પદવીદાન સમારંભમાં માત્ર 150 ગોલ્ડમેડાલિસ્ટને જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી એનાયત થશે.બાકીના તમામ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિગ્રી તથા શુભેચ્છા ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોરોનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યા શાખાઓના 29,673 વિદ્યાર્થીઓને રૂબરૂમાં નહીં પરંતુ ઘર બેઠા જ ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવશે તેમજ રાજ્યપાલ દ્વારા વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવવામાં આવશે.
કોરોનાની મહામારીના આ સમયમાં કુલપતિ નીતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીના આ નિર્ણયને તમામ વિદ્યાર્થીઓએ પણ સહર્ષ સ્વીકાર્યો છે.આ તમામ વિદ્યાર્થીઓને એક સરખા અંદાજીત રૂપિયા 7,000ની કિંમતના ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….