ક્રિકેટર ટર્ન પોલીટીશ્યન નવજોતસિંહ સિદ્ધુ દ્વારા પંજાબ સરકારનાં મંત્રી તરીકે રાજીનામું આપવામા આવ્યું છે. સીધુએ આ માહિતી આપતો પોતાનો લગભગ એક મહિના પૂર્વે લખેલો પત્ર ટ્વિટર પર મુકતા મામલે સપાટી પર આવ્યો હતો. સિદ્વુ દ્વારા પોતે રાજીનામુ આપી રહ્યા હોવાની જાણ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ 10.06.2019નાં રોજ કરવામા આવી હતી.તો આજે સિદ્વએ ટ્વીટર પર તે રાજીનામા પત્રનો ફોટો શેર કર્યો હતો. તેમણે પક્ષનાં અધ્યક્ષને સંબોધિત કરતી પોસ્ટમાં રાજીનામા પત્રનો ફોટો પણ શેર કર્યો છે. સિદ્ધુના જણાવ્યા પ્રમાણે, તેમણે 10 જૂનના રોજ રાહુલ ગાંધીને રાજીનામું આપ્યું હતું. સિદ્વુએ રવિવારે એક અન્ય ટ્વિટમાં કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી અમરિન્દરસિંહને રાજીનામું આપશે. બીજી તરફ મુખ્યમંત્રીની ઓફિસે કહ્યું કે તેમને નવજોતસિંહ સિદ્ધુનું રાજીનામું મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.