અકસ્માત/ છોટાઉદેપુરની ખાનગી બસનો મધ્યપ્રદેશમાં અકસ્માત થતાં 3 લોકોનાં મોત,28 ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશના અલીરાજપુરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અલીરાજપુરના ખંડવા-બરોડા રોડ પર એક પેસેન્જર બસનો અકસ્માત થયો છે

Top Stories Gujarat
ACCIDENT છોટાઉદેપુરની ખાનગી બસનો મધ્યપ્રદેશમાં અકસ્માત થતાં 3 લોકોનાં મોત,28 ઇજાગ્રસ્ત

છોટાઉદેપુરની ખાનગી બસનો મધ્યપ્રદેશમાં અકસ્માત
છોટાઉદેપુરના અલીરાજપુરની હતી ખાનગી બસ
ચાંદપુર નજીક ખાનગી બસ નદીમાં ખાબકી
અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત
બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
સ્થાનિક પ્રશાસનના ઉ.અધિકારી ઘટના સ્થળે

મધ્યપ્રદેશના અલીરાજપુરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અલીરાજપુરના ખંડવા-બરોડા રોડ પર એક પેસેન્જર બસનો અકસ્માત થયો છે. આ ઘટનામાં 3 મુસાફરોના મોત અને 28 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 7 બાળકો પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સમાચાર અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી બસ કલ્વર્ટની રેલિંગ તોડીને 12 ફૂટ નીચે નાળામાં પડી હતી. આ અકસ્માત રવિવારે સવારે ચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે