દાહોદ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરી માફિયાઓ દ્વારા રેતી ગુજરાતમાંથી બીજા રાજ્યમાં લઇ જવામાં આવતી હતી. આ મામલાની જાણ જિલ્લા કલેકટર જે.રંજીથકુમારને થતા જિલ્લા કલેકટરે લીમખેડાના SDM ની દેખરેખમાં ટિમો બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં રાત્રે 12:૦૦ વાગ્યે દેવગઢ બારીયાથી લીમખેડા અને પીપલોદ થઈ દેવગઢ બારીયા રોડ પર આ ઓપરેશનને અંજામ આપ્યો હતો. જેમાં મોટા ભાગની ટ્રકો રાજસ્થાન અને મધ્ય પ્રદેશના માલિકીની હતી. જેમાં બાંસવાડા , ક્લીનજરા , રતલામ , મેઘનગર , ઝાલોદ ,ડુંગરપુર , લીમખેડા જેવા શહેરોનો સમાવેશ થાય છે.
આ ઓપરેશનમાં ખાનખાણીજ ના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે રાખી ચોમેરથી ખનન કરતા માફિયાઓને ઘેરતા રાત્રે આ ટિમ દ્વારા 33 ટ્રકો ગેરકાયદે રેતી ભરી ખનન કરતી ઝડપાઇ હતી
મળતી માહિતી મુજબ આ 33 ટ્રકો ને ઓવેરલોડ અને ગેર કાયદે ખનન બંને નો કેસ કરવામાં આવ્યો છે. અને અંદાજે આ બધી ટ્રકો માલી કુલ રૂપિયા 20 લાખ જેટલો દંડ વસુલ કરવામાં આવશે.આ સમગ્ર કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.