New Delhi News: હરિયાણાના ગુરૂગ્રામમાં અકસ્માત સર્જાયો છે. અર્જુન નગરમાં સ્મશાનભૂમિની દીવાલ ધરાશાઈ થતાં ચાર લોકોના મોત થયા છે. જેમાં એક સગીર યુવતીનો પણ સમાવેશ થાય છે. બે લોકોની હાલત નાજુક છે. આ ઘટના શનિવારે સાંજે 6.20 કલાકે બની હતી, જે નજીકના ઘરના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં 4 લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં 70 વર્ષીય દેવી દયાલ, 52 વર્ષીય કૃષ્ણા, 41 વર્ષીય મનોજ ગાબા અને એક સગીર બાળકીનો સમાવેશ થાય છે. સ્મશાનભૂમિના કેરટેકરે હજુ સુધી અધિકારીઓને કંઈ કહ્યું નથી. પોલીસે બેદરકારીના કારણે મોતનો ગુનો નોંધ્યો છે. બે ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોનું કહેવું છે કે લોકોની હાલત અત્યંત નાજુક છે. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. તેમની સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
#WATCH | Haryana: Four people, including a child, died when the walls of a crematorium collapsed on them in Arjun Nagar, Gurugram today. Their postmortem is being done. Police investigation is underway and further action will be taken. pic.twitter.com/5ezomHRd3K
— ANI (@ANI) April 20, 2024
આ પણ વાંચો:બાબા રામદેવને સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક ઝાટકો, શિબિર માટે કર ચૂકવવો પડશે
આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત