Haryana/ ‘4 સેકન્ડમાં 4ના મોત’, દીવાલ ધરાશાઈ થતાં સર્જાઈ દુર્ઘટના

લોકોની હાલત અત્યંત નાજુક છે. અત્યારે કંઈ કહી શકાય……..

India
Image 63 '4 સેકન્ડમાં 4ના મોત', દીવાલ ધરાશાઈ થતાં સર્જાઈ દુર્ઘટના

New Delhi News:  હરિયાણાના ગુરૂગ્રામમાં અકસ્માત સર્જાયો છે.  અર્જુન નગરમાં સ્મશાનભૂમિની દીવાલ ધરાશાઈ થતાં ચાર લોકોના મોત થયા છે. જેમાં એક સગીર યુવતીનો પણ સમાવેશ થાય છે. બે લોકોની હાલત નાજુક છે. આ ઘટના શનિવારે સાંજે 6.20 કલાકે બની હતી, જે નજીકના ઘરના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં 4 લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં 70 વર્ષીય દેવી દયાલ, 52 વર્ષીય કૃષ્ણા, 41 વર્ષીય મનોજ ગાબા અને એક સગીર બાળકીનો સમાવેશ થાય છે. સ્મશાનભૂમિના કેરટેકરે હજુ સુધી અધિકારીઓને કંઈ કહ્યું નથી. પોલીસે બેદરકારીના કારણે મોતનો ગુનો નોંધ્યો છે. બે ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોનું કહેવું છે કે લોકોની હાલત અત્યંત નાજુક છે. અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. તેમની સારવાર ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બાબા રામદેવને સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક ઝાટકો, શિબિર માટે કર ચૂકવવો પડશે

આ પણ વાંચો:સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર, ‘કેજરીવાલ સહિત AAP નેતા સાથે વાતચીત થતી હતી, સરકારી સાક્ષી બનીશ’

આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત