Supreme Court/ બાબા રામદેવને સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક ઝાટકો, શિબિર માટે કર ચૂકવવો પડશે

રામદેવના શિબિરોમાં પ્રવેશ મફત હોય છે. પ્રવેશ કર લીધા પછી શિબિરોમાં યોગ………….

Top Stories India Breaking News
Image 62 બાબા રામદેવને સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક ઝાટકો, શિબિર માટે કર ચૂકવવો પડશે

New Delhi :યોગ ગુરૂ બાબા રામદેવને સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક ઝાટકો મળ્યો છે. હવે તેમના યોગ શિબિરને પણ ટેક્સ ચૂકવવો પડશે. સ્વામી રામદેવની યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ હવે ટેક્સ ચૂકવશે. સુપ્રિનની જસ્ટિસ અભય એમ ઓક અને જસ્ટિસ ઉઝ્જવલ ભુઈયાની બેંચે આ મામલે ટ્રેબ્યુનલને પોતાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

રામદેવના શિબિરોમાં પ્રવેશ મફત હોય છે. પ્રવેશ કર લીધા પછી શિબિરોમાં યોગ એ એક સેવા છે. ટ્રિબ્યુનલનો હસ્તક્ષેપ કરવો તેમાં કોઈ કારણ જણાતું નથી. તેથી પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ આ અપીલને રદબાતલ કરે છે. આ સાથે જ અદાલતે સીમા કર. ઉત્પાદન કર, સેવા કર અપીલીય ટ્રિબ્યુલી અલાહાબાદની બેંચે આપેલા આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

હકીકતમાં, CESTAT (કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ) એ સ્વીકાર્યું હતું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગ શિબિરમાં ભાગ લેવા માટે કોઈપણ વ્યક્તિ પાસેથી ફી વસૂલવામાં આવે છે. તેથી ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગ શિબિરો સર્વિસ ટેક્સના દાયરામાં આવવી જોઈએ. ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ટ્રસ્ટ વિવિધ રહેણાંક અને બિન-રહેણાંક શિબિરોમાં યોગની તાલીમ આપવાનું કામ કરે છે. આ માટે, સહભાગીઓ પાસેથી દાન સ્વરૂપે નાણાં એકત્ર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે ઉપરોક્ત સેવાઓ પ્રદાન કરવા માટે પ્રવેશ ફી છે.

કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, મેરઠ રેન્જે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને ઓક્ટોબર 2006 અને માર્ચ 2011 વચ્ચે આયોજિત આવા શિબિરો માટે દંડ અને વ્યાજ સહિત લગભગ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું. ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે એવી સેવાઓ પૂરી પાડી રહી છે જે રોગોની સારવાર માટે છે અને તે ‘હેલ્થ એન્ડ ફિટનેસ સર્વિસ’ શ્રેણી હેઠળ કરપાત્ર નથી. પરંતુ ટ્રિબ્યુનલે કહ્યું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટના દાવા કે તે વ્યક્તિ દ્વારા પીડાતા ચોક્કસ રોગોની સારવાર પૂરી પાડે છે તે કોઈ સકારાત્મક પુરાવા દ્વારા સમર્થન નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર, ‘કેજરીવાલ સહિત AAP નેતા સાથે વાતચીત થતી હતી, સરકારી સાક્ષી બનીશ’

આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત