- થરાદના પીલુડા ગામમાં સામુહિક આપઘાત
- પરિવારના 4 સભ્યે લગાવી મોતની છલાંગ
- ફાયર વિભાગે 2 મૃતદેહ બહાર કાઢ્યા
- પતિ-પત્ની અને બે બાળકોએ કર્યો આપઘાત
- આપઘાતનું કારણ અકબંધ
બનાસકાંઠા જિલ્લાના થરાદની કેનાલમાં એક જ પરિવારના 4 સભ્યોએ મોતની છલાંગ લગાવી સામુહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.પીલુડા ગામના પરિવારના ચાર સભ્યો જેમાં પતિ-પત્ની અને બે બાળકોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે.સ્થાનિક લોકોએ ફાયર વિભાગેને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને બે મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા છે. જો કે આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે. પીલૂડા ગામના એક પરિવાર 4 સભ્યોએ શા માટે કેનાલમાં જંપલાવ્યુ તેનું કારણ હાલ જાણવા નથી મળ્યું. આ ઘટનાની જાણ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ટીમને કરતાં ચારેય લોકોને બચાવવા માટે ઘટના સ્થળે જઈ શોધખોળ હાથ ધરી છે. બે કલાકની શોધખોળ બાદ માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. હજુ પણ બે લોકોને શોધવાની કવાયત ચાલુ છે. સ્થાનિક લોકો અને થરાદ ફાયર વિભાગના તરવૈયા સુલતાન મીર દ્વારા અન્ય બે સભ્યોની પણ શોધખોળ હાથધરાઈ છે.
આ પણ વાંચો:દૃષ્ટિહીન લોકો માટે શરૂ કરાયેલ પ્રથમ ઈન્ટરનેટ રેડિયો, જાણો સમગ્ર વિગત