યુપીના વૃંદાવનમાં એક મોટો અકસ્માત થયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે.બાંકે બિહારી મંદિર પાસે દુસાયત વિસ્તારમાં એક ઘરની છત પડી, જેમાં પાંચ લોકોના મોત નિપજયા છે.આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વાંદરાઓ એક બીજા સાથે લડી રહ્યા હતા ત્યારે દુસાયત વિસ્તારના રહેવાસી વિષ્ણુ બાગના ઘરની છત પડી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કેઆ અકસ્માતમાં હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં છેલ્લા 3 દિવસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભીડ નિયંત્રણમાં જિલ્લા વહીવટીતંત્રની તમામ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હતી. લોકો પહેલાથી જ આ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.