Not Set/ ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા 38 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સંક્રમણના 38 કેસ નોંધાયા છે., અને સૈાથી વધુ સંક્રમણના 9 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે.

Top Stories Gujarat
corona 1 ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા 38 કેસ

દુનિયામાં ઓમિક્રોનના નવા વેરિઅન્ટથી ખળભળાટ મચી જવા પામ્યો છે ,ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 38 કેસ નોંધાયા છે,જે ગઇકાલની સરખામણીમાં 10 કેસ ઓછા છે  જે સારા સમાચાર છે,રાજ્યમાં ઓમિક્રોનનો એક કેસ મળી આવ્યો છે તે જામનગરમાં નોંધાયો છે ગુજરાતમાં અનેક ઓમિક્રોનના શંકાસ્પદ કેસ મળી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સંક્રમણના 38 કેસ નોંધાયા છે., અને સૈાથી વધુ સંક્રમણના 9 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે. હજુપણ લોકો કોરોના મામલે બેદરકારી વર્તી રહ્યા છે. હાલ દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે,આ વેરિઅન્ટ ખુબ ઝડપથી ફેલાય છે. તેથી સાવચેતી અતિ જરૂરી છે.

છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી તે સારી વાત છે .24 કલાકમાં કોરોનાે માત આપી સાજા થનાર 37 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.કોરોનાના એક્ટિવ કેસ 350ને પાર પહોચ્યા છે. ગુજરાકતમાં કોરોનાના કુલ કેસ 8,27,255 પહોચ્યો છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યા 8,17,300 પર પહોચ્યા છે.

રાજ્યમાં કોરોનાના નવા 38 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 09 કેસ
છેલ્લા 24 કલાકમાં 37 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 350
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,255
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,300