NEW DELHI NEWS: અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી આયોગ ખાતે પહોંચી ગયું છે. વિપક્ષે કહ્યું છે કે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. થોડા જ દિવસોના અંતરાળમાં કેન્દ્ર સરકારે રાજ્યોમાં બે મુખ્મંત્રીઓની ધરપકડ કરી છે જે લોકશાહી માટે હિતાવહ નથી.
કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ અદાલતમાં દલીલ કરી હતી કે ઈડીએ ધરપકડ કેમ કરી? ઈડી પાસેથી પહેલેથી જ બધુ છે તો પછી શા માટે ધરપકડ કરવામાં આવી? ઈડી ફકત 3 કે 4 નામો જ ઉલ્લેખ કરી રહી છે. સિંઘવીએ દલીલ કરતા કહ્યું કે ઈડીએ PMLAનો કેસ સાબિત કરવો પડશે. તેમને કસ્ટડીમાં લઈ જઈને પૂછપરછ શા માટે કરવામાં આવી રહી છે. બધુ પહેલેથી જ ઘઢી કાઢ્યું છે. ચૂંટણી પહેલા શા માટે જ તેમની ધરપકડ કરવામાં આવી છે, આ બધુ બંધારણીય રીતે જોડાયેલું છે.
અમે ચૂંટણી કમિશનને તેમના ઉત્તરદાયિત્વની યાદ અપાવી છે. અમે આગને હસ્થક્ષેપ કરવાનું કહ્યું. સ્વતંત્ર ભારત 75 વર્ષો જૂનો છે. પ્રથમ વખત બન્યું છે કે સીએમની ધરપકડ કરવામાં આવી હોય.
આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક
આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર