રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસ (Republic Day 2023) ની ઉજવણીમાં નૌકાદળના IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ ભાગ લેશે. ભારતીય વાયુસેના (IAF)ના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી.
નૌકાદળનું IL-38 એરક્રાફ્ટ આ વખતે કદાચ પ્રથમ અને છેલ્લી વખત પ્રદર્શિત કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. IAF અધિકારીએ કહ્યું કે IL-38 એ ભારતીય નૌકાદળનું મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ છે, જે લગભગ 42 વર્ષથી દેશની સેવામાં છે.
વાયુસેનાના અધિકારીએ જણાવ્યું, “ રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન તે અહીં પ્રથમ વખત અને કદાચ છેલ્લી વખત પ્રદર્શિત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેનારા 50 એરક્રાફ્ટમાંથી તે હશે.” તેમણે કહ્યું કે આ 50 એરક્રાફ્ટમાં સેનાના ચાર એરક્રાફ્ટનો પણ સમાવેશ કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાએ અહીં એક પત્રકાર પરિષદમાં ઝાંખીના મોડેલનું પણ અનાવરણ કર્યું હતું, જે 26 જાન્યુઆરીએ પરેડ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે રાજપથનું નામ બદલીને કર્તવી પથ રાખવામાં આવ્યા બાદ આ અહીં પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી હશે.
આ પણ વાંચો:હાડ થીજવતી ઠંડીમાં AMC સંચાલિત સ્કૂલોનો મહત્વનો નિર્ણય, બાળકો મોડા આવશે તો પણ ચાલશે
આ પણ વાંચો:ખોખરા વોર્ડના લોકો પરેશાન, ગંદકીના લીધે વેચવા કાઢ્યા મકાનો અને દુકાનો
આ પણ વાંચો:ચાલુ ક્લાસમાં હાર્ટએટેકથી મોતનો બીજો કિસ્સો, રાજકોટ બાદ અહીં થયું વિદ્યાર્થીનું મોત