ધર્મ વિશેષ/ 5500 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ, જ્યાં ચઢે છે 52 ગજની ધજા

ભીમનાથ મહાદેવ દાદાનુ મંદિર 5500વર્ષ જૂનું છે. આ પૌરાણિક મંદિર ઉપર બાવન ગજની ધજા ચડે છે. સંધ્યા આરતી સમયે ધજાની ટોચ પર એક મોર રોજ આવીને બેસતો હોવાની લોકમુખે ચર્ચા છે.  દર વર્ષે શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો ભરાય છે.

Dharma & Bhakti
k2 1 2 5500 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ, જ્યાં ચઢે છે 52 ગજની ધજા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે 5500 વર્ષ જૂનું લીલકા નદીના તટે પાંડવ કાલીન મંદિર એટલે ભીમનાથ મહાદેવ મંદિર આવેલુ છે. જયાં ભક્તજનોનો હંમેશા ધસારો જોવા મળતો હોય છે. ભીમનાથ મહાદેવ દાદાનુ મંદિર 5500વર્ષ જૂનું છે. આ પૌરાણિક મંદિર ઉપર બાવન ગજની ધજા ચડે છે. સંધ્યા આરતી સમયે ધજાની ટોચ પર એક મોર રોજ આવીને બેસતો હોવાની લોકમુખે ચર્ચા છે.  દર વર્ષે શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો ભરાય છે.

123 5500 વર્ષ જૂનું ભીમનાથ મહાદેવ, જ્યાં ચઢે છે 52 ગજની ધજા

ભીમનાથ મહાદેવ દાદાનું પૌરાણિક મંદિર 5500 વર્ષ જૂનું જે લીલકા નદીના તટે આવેલું છે. જે વિસ્તાર હેડંબાવન તરીકે પણ ઓળખાય છે. આ ભીમનાથ મહાદેવનું મંદિર શિખરબંધી નથી, પરંતુ વરખડીનું ઝાડએ શિખર તરીકે શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મંદિરમાં આવેલુ જે વરખડીનું ઝાડ છે, તેમાંથી દર વર્ષે ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો મીઠો પ્રવાહ ઘરે છે જે દર્શનાર્થીઓ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. અર્જુને પુજા કરતા શિવજી પથ્થરમાંથી પ્રસન્ન થયા હતા.

કહેવાય છે કે પાંડવો જ્યારે ગુપ્તવાસમાં હતા ત્યારે ભીમનાથ ખાતે રોકાયા હતાં. અર્જુન શિવજીની પૂજા-અર્ચના કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતા હતા, અહીં કોઈ શિવજીનું મંદિર નહોતું. તેથી તે એક પથ્થરને ઉચકીને લાવી સ્થાપિત કરે છે અને ત્યારબાદ અર્જુન પથ્થરને શિવલિંગના રૂપમાં જોઇ પૂજા અર્ચના કરે છે

આમ, આ મંદિરનું નામ ભીમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોવાથી મંદિરનું નામ ભીમનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે. અહીં દર વર્ષે શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળે છે. તો શ્રાવણ માસની અમાસે મોટો લોકમેળો પણ ભરાય છે, અહીં તમામ દર્શનાર્થીઓ માટે નિશુલ્ક પ્રસાદી અપાય છે. ભાદરવી અમાસના દિવસે અહીં ભવ્ય ભાતીગળ મેળો પણ યોજાઈ છે। જ્યારે પવિત્ર બ્રાહ્મણો દ્વારા અહીં રક્ષાબંધનના પાવન પર્વે સામૂહિક યજ્ઞોપવીત સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવે છે.