દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. સોમવારે ફરી એકવાર દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન સરહદ નજીક હોવાનું કહેવાય છે. ભૂકંપના આ આંચકા એટલા જોરદાર હતા કે ઘણા વિસ્તારોમાં લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા.
નોંધનીય છે કેનેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. ભૂકંપ રાત્રે 11.39 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 80 કિલોમીટરની ઉંડાઈએ હતું.
આ પણ વાંચો:Ayodhya Ram Temple/અયોધ્યામાં તમને જોવા મળશે સૌથી સુંદર રામાયણ, જેની કિંમત છે 1 લાખ 65 હજાર