નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે જામીન આપ્યા છે, સેસન્સ કોર્ટે ધારાસભ્યને શરતી જામીન આપ્યા છે. ધારાસભ્યને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જ્યા સુધી કેસ ચાલે ત્યા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. ડેડીયાપાડામાં વનકર્મીને માર મારવાનો ચૈતર વસાવા આરોપ છે.
ઉલ્લેખનીય છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીને માર માર્યો હતો,ધમકી આપી હતી અને હવામાં ગોળીબાર કર્યો હતો તે સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી હતી,ધારાસભ્ય લાંબા સમયથી જેલમાં બંધ હતા તેમને આજ રોજ કોર્ટે શરતી જામીન આપ્યા હતા.જમીન પર ખેડાણની બાબતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો:Ayodhya Ram Temple/અયોધ્યામાં તમને જોવા મળશે સૌથી સુંદર રામાયણ, જેની કિંમત છે 1 લાખ 65 હજાર
.