કોરોનાવાયરસ વચ્ચે, મોદી સરકારે કેન્દ્રમાં 7 વર્ષ પૂરા કર્યા છે. આ ફક્ત એક નિયતિ કહેવાશે કે મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં બીજા વર્ષની ઉજવણી પણ કોરોનાની ભેંટ ચઢી ગઇ છે.બીજા ટર્મની બીજી વર્ષગાંઠની ઉજવણી પણ કોરોનાને કારણે ઝાંખી થઈ ગઈ છે.
વિવાદિત નિવેદન / ઉત્તરાખંડનાં CM તીરથસિંહ રાવતની વધુ એકવાર જીભ લપસી
કેન્દ્રમાં મોદી સરકારનાં 7 વર્ષ પૂરા થયાની ઉજવણી માટે ભાજપ ‘સેવા જ સંગઠન’ અભિયાન અંતર્ગત દેશનાં લગભગ એક લાખ ગામોમાં કોવિડ-19 સંબંધિત ખાસ રાહત અને બચાવ કામગીરી કરશે. બીજી તરફ, કોંગ્રેસ એ પણ મોદી સરકારને ઘેરી લેવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મોદી સરકારનાં 7 વર્ષ પૂરા થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેના દ્વારા કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. વીડિયોમાં કોરોનાનાં સંદર્ભમાં મોદી સરકારની કાર્યશૈલી પર સવાલો કરવામાં આવી રહ્યા છે. વળી પીએમ મોદીને નોટબંધી, જીએસટી, બેકારી, નક્સલવાદ અને ખેડૂત આંદોલન માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. 4 મિનિટ 36 સેકન્ડનાં વીડિયોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોદી સરકારથી વધારે વડાપ્રદાન મોદીને ટાર્ગેટ કરવામાં આવેલ છે. વીડિયોમાં દરેક નિર્ણય માટે અને તમામ બૂલો માટે મોદીને દોષી ઠેરવવામાં આવ્યા છે.
બાબા vs મેડિકલ / રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ
કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી મોદી સરકાર ઉપર આક્ષેપો કર્યા છે. સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર દેશ માટે નુકસાનકારક છે. તેમણે કહ્યું કે, સાત વર્ષમાં દેશ એ ઘણું બધુ ગુમાવ્યું છે. સુરજેવાલાએ કહ્યું કે, સરકારની ખોટી નીતિને કારણે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બગડી છે. જીડીપી માઈનસ પર ચાલ્યો ગયો છે. તેમણે કહ્યું કે, બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી વધુ બની ગયો છે, લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે, પરંતુ સરકાર આ તરફ ધ્યાન આપવાને બદલે મૌન બેઠી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે કોરોના સમયગાળા દરમિયાન મોદી સરકારની બેદરકારી જે રીતે સામે આવી છે, તે લોકો સમજી ગયા છે કે સરકાર માત્ર ભાષણ કેવી રીતે આપવા તે જ જાણે છે.