રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે શનિવારે કહ્યું કે, ભારતીય રેલ્વે દેશમાં 12 સપ્ટેમ્બરથી 80 નવી વિશેષ ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેનોમાં રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી કરવામાં આવી શકશે. તેમણે કહ્યું કે, તેઓ વિશેષ ટ્રેનોના સંચાલન પર નજર રાખશે, જ્યાં ટ્રેનોની માંગ હોય અથવા લાંબી વેઇટિંગ લિસ્ટ હોય ત્યાં ‘ક્લોન’ ટ્રેનો દોડાવવામાં આવશે. વિનોદ યાદવે જણાવ્યું હતું કે પરીક્ષાઓ માટે અથવા રાજ્ય સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી હોય તેવા કોઈપણ હેતુ માટે ટ્રેનો ચલાવવામાં આવશે.
આ સિવાય તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ દિલ્હી સરકાર અને રેલ્વે સંયુક્ત રૂપે ટ્રેકની બાજુથી કચરો હટાવવા તાત્કાલિક પગલા લેશે. બુલેટ ટ્રેન અંગેના સવાલ પર તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ છે. કોવિડ -19 ને કેટલાક ટેન્ડર અને જમીન સંપાદન પ્રક્રિયાને અસર થઈ છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમયસર કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે કારણ કે મહામારીને કારણે જમીન સંપાદનનું કામ વિલંબિત થયું છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. આ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર 2023 માં પૂર્ણ થવાનું સૂચિત પ્રમાણે છે.
Railways to run 40 pairs of new special trains from September 12. Reservation for these will begin from September 10: Vinod Kumar Yadav, Chairman Railway Board (File pic) pic.twitter.com/fGw456HUrR
— ANI (@ANI) September 5, 2020
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પ્રોજેક્ટ માટે 63 ટકા જમીનો હસ્તગત કરી લીધી છે જેમાં ગુજરાતમાં લગભગ 77 ટકા જમીન, દાદર નગર હવેલીમાં 80 ટકા અને મહારાષ્ટ્રની 22 ટકા જમીન શામેલ છે.
અધિકારીઓએ કહ્યું કે મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતમાં નવસારી જેવા વિસ્તારોમાં જમીન સંપાદનને લગતા કેટલાક મુદ્દાઓ હજુ પણ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કંપનીએ નવ જાહેર કામોના ટેન્ડરો મંગાવ્યા હતા પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે ખોલી શકાઈ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.