Ahmedabad News: બોક્સ ઓફિસ પર સફળ રહેલી બોલિવૂડ ફિલ્મ “ધુરંધર” (Dhurandhar) એ એક નવો વિવાદ ઉભો કર્યો છે. બલૂચ સમુદાયના કેટલાક સભ્યોએ ફિલ્મ નિર્માતા સામે કાર્યવાહી કરવા અને વિવાદાસ્પદ સંવાદ દૂર કરવા માટે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court )નો સંપર્ક કર્યો છે. એક અહેવાલ મુજબ, ગાંધીનગરના રહેવાસી યાસીન બલોચ અને બનાસકાંઠાના અયુબખાન બલોચે ફિલ્મના દિગ્દર્શક આદિત્યધર સામે કાર્યવાહી કરવા માટે અરજી દાખલ કરી છે. તેમનો આરોપ છે કે ફિલ્મ બલૂચ સમુદાય વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણનો ઉપયોગ કરે છે.
અરજદારોએ જણાવ્યું છે કે તેઓ ફિલ્મ “ધુરંધર” (Dhurandhar)માં સંજય દત્ત (Sanjay Dutt) દ્વારા ભજવવામાં આવેલા સંવાદ સામે વાંધો ઉઠાવે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘મગરમચ્છ પે ભરોસો કર શકે હો, પર બલોચ પર નહીં.’અરજદારો માંગ કરી રહ્યા છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) જ્યાં સુધી સંવાદ કાયમી ધોરણે મ્યૂટ અથવા ડિલીટ ન થાય ત્યાં સુધી પ્રમાણપત્રમાં ફેરફાર કરે.

Dhurandharને લઈને બલોચ અરજદારો અન્ય કઈ દલીલો કરી?
તેમણે કોર્ટને વિનંતી કરી છે કે CBFC ને ફિલ્મની નવેસરથી સમીક્ષા કરવા અને બંધારણીય અને વૈધાનિક માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપે. અરજદારોએ ફિલ્મના સંવાદના વધુ પ્રદર્શન, પ્રસારણ અથવા સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમનો દલીલ છે કે આ સંવાદ બલૂચ સમુદાયને લક્ષ્ય બનાવે છે અને તેમના વિરુદ્ધ પ્રતિકૂળ રૂઢિપ્રયોગોને પ્રોત્સાહન આપે છે, જેનાથી કાયદા સમક્ષ સમાનતાની બંધારણીય ગેરંટીનું ઉલ્લંઘન થાય છે. અરજીમાં “જોલી એલએલબી,” “પદ્માવત,” અને “આદિપુરુષ” જેવી ફિલ્મોમાંથી વાંધાજનક સામગ્રી દૂર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજી બુધવારે સુનાવણી માટે સૂચિબદ્ધ છે.
આ પણ વાંચો:ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ
આ પણ વાંચો:ધુરંધર ફિલ્મ વિવાદમાં સપડાઈઃ બલોચ સમાજમાં આક્રોશ
આ પણ વાંચો:‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!
