ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચુંટણીના પ્રચાર માટે દરેક પક્ષના ઉમેદવારો એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ તેમના ભાષણોમાં નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જેની સામે પુર્વ ઉડ્ડીયન મંત્રી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. નરોડા ખાતે આયોજીત જાહેરસભામાં પુર્વ કેન્દ્રીય ઉડ્ડીયન મંત્રી અને એનસીપીના નેતા પ્રફુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રફુલ પટેલે ભાજપ દ્વારા વિકાસના કરવામાં આવતા દાવાઓ બોગસ હોવાનું નિવેદન આપ્યું હતું. રાંધણ ગેસમાં ભાવ વધારો, વિકાસના બોગસ દાવાઓ, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, મોંઘું શિક્ષણ અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ભાજપના દાવાઓને ખોટા ઠેરવ્યા હતા.