શ્રીનગરમાં રવિવારે સડક દુર્ઘટનામાં કેન્દ્રીય રિજર્વ પોલીસ બળ(સીઆરપીએફ) ના ૧૯ જવાનો ઘાયલ થયા છે. શહેરનાં બેમીના ક્ષેત્રમાં સીઆરપીએફ ના વાહનના ચાલકનું નિયંત્રણ હટવાથી વાહન પલટી ગયું હતું.
એક અધિકારીએ જાણવું હતું કે ૧૯ સીઆરપીએફ જવાન ગંભર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે નજીકની જેવીસી હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે, જ્યાંથી સાત જવાનોને આર્મી બેસ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એક સીઆરપીએફ જવાનની હાલત ખુબ ગંભીર છે, તેને સ્પાઈનલ કોર્ડમાં લાગ્યું હોવાના કારણે તેની વિશેષ સારવારની જરૂર હોવાના કારણે તેમને નવી દિલ્લી શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના આજ સવારે ૫ વાગ્યે ઘટી હતી.