સાબરકાંઠા,
સાબરકાંઠા જિલ્લા ભાજપ શાસિત નગરપાલિકા ખાડામા ગઈ હોય તેવું નાગરિકો કહી રહ્યા છે. સરકાર જળ સંચય અભિયાન શરૂ કર્યું છે તો બીજી બાજુ ઇડર પાલિકામો લોકો દૂષિત અને ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.
ઇડર શહેરમાં આવેલ કસ્બા વિસ્તારના લોકો 2 માહીનાથી ગંદુ અને દુષિત પાણી પીવે છે. ઇડર પાલિકામાં વારંવાર રજુઆત કરવા છતા કોઈ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિને રજુઆત પણ કોઈ ધ્યાનમાં લેતા નથી. જેને લઇને સ્થાનિક લોકોને ગંદુ અને દૂષિત પાણી પીવા મજબૂર થાય છે.
હાલ રમજાન માસ ચાલી રહ્યો છે તેવામા ચોખ્ખું પાણી લોકોને બજારથી વેચાતું લાવવું પડે સમાજના લોકો પાલિકામા રજૂઆતો કરી થાકી ગયા છે જો બે દિવસમાં નિકાલ નહીં આવે તો આંદોલન કરશે.