કર્ણાટકમાં જેડીએ-કોંગ્રેસ સરકારના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. કુમારસ્વામી કેબિનેટનું વિસ્તરણ થશે. જેડીએસના ઓછામાં ઓછા બાર ધારાસભ્ય શપથ લેશે જ્યારે કોંગ્રેસનાં 22 મંત્રી શપથ લેશે.
મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પૂર્વ મુખ્યમંત્રી સીદ્ધારમૈયાની હાજરીમાં રાજ્યપાલ વજુભાઈવાળા કેબિનેટના મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. કોંગ્રેસના ડીકે શિવકુમારને કેબિનેટમાં જગ્યા મળી છે.
આ કેબિનેટમાં માયાવતીની પાર્ટીના બીએસપીના વિધાયક સતીશ ચંદ્રાને પણ એન્ટ્રી મળી છે. કેબિનેટમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના ભાઈ એચડી રેવાનાને પણ જગ્યા મળી છે.
માયાવતીની પાર્ટી બીએસપીને કર્ણાટકમાં ચિત મેળવવા વાળા એક માત્ર વિધાયકને કેબિનેટ મંત્રી બનાવવા માટે બન્ને દળોને રાજી કરી લેવામાં આવ્યા છે. આ પહેલી વખત હશે કે યુપીનો કોઈ વિધાયક બહાર મંત્રીનો દરજ્જો મેળવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી પરમેશ્વરે પણ કેબિનેટ વિસ્તરણના અહેવાલને સમર્થન આપ્યું છે. કોઇ પણ પ્રકારના મતભેદ હોવાના અહેવાલને કુમારસ્વામીએ રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, સાનુકુળ રીતે સરકાર ચાલી રહી છે.