બનાસકાંઠા
બનાસકાંઠામાં બે ટ્રકો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ અને ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
અમીરગઢ તાલુકાના ચેખલા ગામ પાસે આ બનાવ બન્યો હતો. ત્યારે ઘાયલોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ટ્રકમાં ફસાયેલા ઘાયલને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. ત્યારે ઘટનાસ્થળે પણ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ મામલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.