મહેસાણા
મહેસાણા જિલ્લાના રજિસ્ટારએ દૂધસાગર ડેરીના એક્ઝીક્યુટીવ ડિરેકટર સામે 1.10 કરોડની ઉચાપત મામલે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
મહત્વનું છે કે દૂધસાગર ડેરીના એક્ઝીક્યુટીવ ડિરેકટર નીતિન સંચેતી અને જગુદણ ફેકટરીના ચેરમેન મનોજ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાગરદાણમાં ઉપયોગમાં લેવાતા મોલાસીસની ખરીદીમાં બને લોકોએ ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વર્ષ 2015માં મોલાસીલનો બજાર 6000 રૂપિયા પ્રતિ યુનિટ હતો પણ ડિરેકટર અને કંપનીના મેનેજરે તેને 8000 રૂપિયા પ્રતિ યુનિટના ભાવથી ખરીદી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જેને કારણે ડેરીને 1.10 કરોડનું નુકશાન થયું હતું.