ટીવી રિયાલિટી શો ‘ડાન્સ દિવાને 3’ ના જજ ધર્મેશ યેલાંડેને કોરોનાને ચેપ લાગ્યો છે. તાજેતરમાં, આ રિયાલિટી શોના ક્રૂ મેમ્બર્સને કોરોના ચેપ લાગ્યો હતો, હવે ધર્મેશને પણ કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ વાત એ છે કે રિયાલિટી શો ડાન્સ દિવાનેના 18 ક્રૂ મેમ્બરોને કોરોના ચેપ લાગ્યો જે બાદ આ શો સાથે સંકળાયેલા અન્ય લોકોની કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં ધર્મેશ અને નિર્માતા અરવિંદ રાવનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે જ સમયે, માધુરી દીક્ષિત અને રાઘવ જુયાલનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
આ પણ વાંચો :આકાશમાં ઉડતા ઉડતા દરિયામાં પડી નિયા શર્મા, જુઓ ફની વીડિયો
નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસની અસર મનોરંજન ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે ટીવી શો અને ફિલ્મ્સનું શૂટિંગ ઘણા મહિનાઓ સુધી બંધ કરાયું હતું, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે આ વર્ષે ફરી તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સપ્તાહના અંતે શૂટિંગ ન કરવાને કારણે, નિર્માતાઓને બાકીના દિવસે માટે વધારાના એપિસોડ્સ પર કામ કરી રહ્યા છે. જેથી શો સતત પ્રસારિત થતો રહે. જ્યારે ઘણા કલાકારો દ્વારા કોરોના ચેપ લાગવાને કારણે સ્ટોરી લાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :નીતુ કપૂરે નવી પુત્રવધૂને આપ્યો મીઠો આવકારો, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર
આ પહેલા ઘણા બોલીવૂડ અને ટીવી સ્ટાર કોરોનાની ઝ્પ્ર્તમાં આવી રહ્યા ચુક્યા છે. જેમાં રણબીર કપૂર, આમિર ખાન, સતિશ કૌશિક,. સંજય ભણશાલી, અમિતાભ બચ્ચન. કાર્તિક આર્યન સહિતના કેટલાક સેબેલ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે.આ સાથે જ મોનાલિસાનો કોવિડ ‘અનુપમા’ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે, મોલક્કીની સીરિયલ તોરલ રાસપુત્રા, અમર ઉપાધ્યાય, પ્રિયાલ મહાજન, ઇશ્કની ખ્યાતિ અંકિત સિવાચ અને તારક મહેતા ફેમ મંદીર ચાંદવાલકરની પણ પણ કોરોનાની પકડમાં આવ્યા છે.
આ પણ વાંચો :શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos
આ પણ વાંચો :જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ