નવી દિલ્લી
મધ્ય પ્રદેશમ છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસની જીત પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પોતાનું નિવેદન આપ્યું છે.
પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા પપ્પુ કહીને સંબોધતા હતા હવે તેઓ પરમ પૂજ્ય બની ગયા છે.
આ નિવેદન તેમણે કોગ્રેસની જીત પછી આપ્યું છે. રાહુલ ગાંધી ગુજરાત અને કર્ણાટકમાં એકલા હતા અને હાલ પણ તેઓ એકલા છે.તમે જોઈ લેજો કે હવે તેમની લીડરશીપ શું રાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવશે ?